(૧) સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નિયમિત પણે લેબર વેલ્ફેર ફંડ ભરાયેલ હોવો જોઇએ.
(૨) સંસ્થા દ્વારા આ યોજનાનો લાભ લીધા બાદ પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ બીજી વાર મળી શકશે નહી.
(૩) કચેરી દ્વારા કર્યક્રમ યોજવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી મ્ળ્યા બાદ જ કર્યક્રમ યોજવાનો રહેશે.
(૪) કાર્યક્રમની તરીખ અને સમય અંગે અત્રેની કચેરીને અગાઉથી લેખિતમા જાણ કરવાની રહેશે જેથી અત્રેની કચેરીના પ્રતિનિધિ કાર્યક્રમમા ઉપસ્થિત રહી શકે.
(૫) મંજુર થયેલ નાણા સૂચિત કાર્યક્રમ માટે જ ખર્ચ કરવાના રહેશે. કાર્યક્રમ મુલત્વી રાખવામા આવે/તારીખમા ફેરફાર કરવાનો થાય તેવા સંજોગોમા કચેરીને લેખીત જાણ કરી પુન: મંજૂરી મેળવ્યા બાદ કાર્યક્રમ યોજવો.
(૬) સંસ્થા દ્વારા ૬’ x ૪’ ના કચેરીના સહયોગ અંગેના ચાર (૪) બેનર લગાવવના રહેશે. તથા કાર્યક્રમના ૧૦ કે તેથી વધુ ફોટોગ્રાફ્સની હાર્ડકોપી બીલ સાથે મોકલવાની રહેશે.
(૭) કાર્યક્રમ પુર્ણ થયે દિન – ૨૦ માં બીલ રજુ કરવાનુ રહેશે.
(૮) સંસ્થા દ્વારા કાર્યક્રમ પુર્ણ થયેથી કાર્યક્રમમા થયેલ ખર્ચના બીલોની પ્રમાણિત નકલ રજુ કર્યેથી થયેલ ખર્ચ ની ૫૦ % રકમ ફોર્મમાં દર્શાવેલ ક્રમાંક ૮-અ, ૮-બ, અને ૮-ક માં કરવામાં આવેલ વર્ગીકરણ મુજબ ચૂકવવામાં આવશે.
(૯) કચેરીનો નિર્ણય આખરી ગણાશે. ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે.